Ambalal patel agahi: ગુજરાતમાં હાલ ગણેશોત્સવની ધૂમધામ ચાલી રહી છે, પરંતુ હવે લોકોની નજર આવનારી નવરાત્રી પર છે. ગરબા માટે તૈયારી જોરશોરથી ચાલી રહી છે, ત્યારે જ જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલ, જેમને લોકો ગુજરાતના ‘બાબા વેંગા’ તરીકે ઓળખે છે, તેમણે એક એવી આગાહી કરી છે કે ગરબા પ્રેમીઓ માટે થોડી ચિંતા વધી શકે છે.
અંબાલાલ પટેલ કોણ ?
અંબાલાલ પટેલ પહેલાથી કૃષિ વિભાગમાં કાર્યરત રહ્યા છે અને વર્ષોથી તેઓ પોતાના ચોક્કસ હવામાન પૂર્વાનુમાન માટે જાણીતા બન્યા છે. ખેડૂતો હોય કે સામાન્ય લોકો, તેમની આગાહીને લોકો ઘણી વાર આંખ મીંચીને માનતા આવ્યા છે.
નવરાત્રીમાં વરસાદની શક્યતા
આ વર્ષે નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. આ પ્રસંગે રાજ્યભરમાં માતાજીની ભક્તિ સાથે અનેક મોટા ગરબા કાર્યક્રમો યોજાશે. પરંતુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 18 થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાતી હવામાનની પરિસ્થિતિને કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે નવરાત્રી દરમ્યાન વરસાદી ઝાપટાં પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. એટલે કે, લોકો ગરબા રાસની મજા માણી શકે છે, પરંતુ વચ્ચે-વચ્ચે વરસાદ તેમની મજા ખોરવી શકે છે.
ગુજરાતના સૌથી મોટા ગરબા મહોત્સવ
નવરાત્રી દરમિયાન ગુજરાતના ચાર મોટા શહેરોમાં વિશાળ ગરબા આયોજનો થાય છે. તેમાં હજારો લોકો ઉમટે છે.
યુનાઇટેડ વે, વડોદરા
વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF)
રાજપથ ક્લબ, અમદાવાદ
કર્ણાવતી ક્લબ, અમદાવાદ
લક્ષ્મી વિલાસ પેલેસ (LVP) ગરબા, વડોદરા
આ આયોજનોમાં હજારો લોકો ભાગ લે છે અને તેની તૈયારી મહિનાઓ પહેલાંથી જ શરૂ થઈ જાય છે. વરસાદના કારણે આયોજકોને પણ મોટી પડકારરૂપ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
ગરબા પ્રેમીઓએ શું કરવું ?
અંબાલાલ પટેલની આગાહી બાદ ગરબા રમનારા યુવાનો અને પરિવારોએ હવે તૈયારી થોડી અલગ રીતે કરવી પડશે. વરસાદની શક્યતા હોવાથી ખુલ્લા મેદાનમાં થતા આયોજનોમાં લોકો છત્રી અથવા રેઇનકોટ રાખે તો સારું. ઉપરાંત, આયોજકો માટે પણ વરસાદી સંજોગોમાં બેકઅપ પ્લાન રાખવો ખૂબ જ જરૂરી બની શકે છે.
Read more – કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: CGHSમાં મોટા ફેરફાર, કર્મચારીઓ માટે આવશે નવો હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન