IRCTC નવો નિયમ: હવે ટિકિટ બુકિંગ માટે આધાર લિંક ફરજિયાત

IRCTC નવો નિયમ: હવે ટિકિટ બુકિંગ માટે આધાર લિંક ફરજિયાત

IRCTC Aadhaar Linking: ભારતીય રેલવે મુસાફરોને ન્યાયપૂર્ણ રીતે ટિકિટ મળે તે માટે નવી નિયમાવલી લાવી રહ્યું છે. 1 ઑક્ટોબર, 2025થી જો તમારું IRCTC અકાઉન્ટ આધાર સાથે લિંક નથી, તો ટિકિટ બુકિંગ શરૂ થતા પહેલા 15 મિનિટમાં તમે ટિકિટ બુક કરી શકશો નહીં. આ નિયમ ખાસ કરીને સામાન્ય મુસાફરોને ફાયદો પહોંચાડવા માટે બનાવાયો છે.

રેલ્વે મંત્રાલય મુજબ, ઘણા એજન્ટો અને ફેક અકાઉન્ટ ધરાવતા લોકો બુકિંગ ખુલતાં જ સીટ બ્લોક કરી લેતા હતા. જેના કારણે સાચા મુસાફરોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. હવે આધાર વેરિફિકેશન ફરજિયાત થતાં ફક્ત ઓથેન્ટિક યૂઝર જ પહેલા 15 મિનિટમાં બુકિંગ કરી શકશે. એજન્ટો માટે પહેલાથી જે 10 મિનિટનો લિમિટ છે તે ચાલુ રહેશે.

તમારું અકાઉન્ટ આધાર સાથે જોડાયેલું છે કે નહીં તે કેવી રીતે તપાસશો ?

  1. IRCTC ની વેબસાઇટ અથવા એપમાં લૉગિન કરો.
  2. “My Account” માં જઈ “My Profile” ઓપન કરો.
  3. અહીં તમને Aadhaar KYC વિકલ્પ મળશે.
  4. જો તમારું અકાઉન્ટ આધાર સાથે જોડાયેલું હશે તો “KYC Verified” અથવા “Aadhaar Verified” દેખાશે.
  5. જો લિંક ન હોય તો તમારે આધાર નંબર નાખવાનો રહેશે.

આધાર કેવી રીતે લિંક કરશો ?

  • IRCTC અકાઉન્ટમાં લૉગિન કરો.
  • “My Profile” માંથી “Aadhaar KYC” પર ક્લિક કરો.
  • તમારો 12 અંકનો આધાર નંબર નાખો અને Submit કરો.
  • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર OTP આવશે.
  • OTP નાખતા જ તમારું અકાઉન્ટ આધાર સાથે જોડાઈ જશે અને “Aadhaar Verified” દર્શાવશે.

Read more-NPS Account New Rules 2025: 1લી ઓક્ટોબરથી નવા નિયમો લાગુ, જાણો સંપૂર્ણ માહિતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top