નેવલ ડોકયાર્ડ મુંબઈ ભરતી 2025 : ITI પાસ માટે 286 જગ્યાઓ, ફી વગર કરો અરજી

naval dockyard recruitment 2025 નેવલ ડોકયાર્ડ મુંબઈ ભરતી 2025 : ITI પાસ માટે 286 જગ્યાઓ, ફી વગર કરો અરજી

naval dockyard recruitment 2025: ભારતીય નૌકાદળના નેવલ ડોકયાર્ડ, મુંબઈમાં યુવાનો માટે સુવર્ણ તક આવી છે. તાજેતરમાં અપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતી માટે ઉમેદવાર પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે. જો તમે ITI પાસ છો અને નૌકાદળમાં કામ કરવાનો સપનો જુઓ છો, તો આ ભરતી તમારા માટે એક મોટો અવસર બની શકે છે.

કુલ જગ્યાઓ

આ ભરતી અભિયાન હેઠળ કુલ 286 જગ્યાઓ ભરવામાં આવશે.

લાયકાત

ઉમેદવારએ માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં ITI (NCVT/SCVT) પૂર્ણ કરેલું હોવું જોઈએ.

સાથે જ 8મી કે 10મી પાસ હોવું જરૂરી છે.

વય મર્યાદા

ન્યૂનતમ વય : 14 વર્ષ

મહત્તમ વયની કોઈ મર્યાદા નથી. એટલે કે મોટા વયના ઉમેદવાર પણ અરજી કરી શકશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયા ત્રણ સ્ટેજમાં પૂર્ણ થશે:

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ટેસ્ટ

પરીક્ષા પેટર્ન

પરીક્ષા OMR આધારિત રહેશે.

કુલ 100 ગુણની પરીક્ષા 2 કલાકની રહેશે.

વિષયો :

  • વિજ્ઞાન : 35 ગુણ
  • ગણિત : 35 ગુણ
  • જનરલ નોલેજ : 30 ગુણ

તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રકારના હશે.

પરીક્ષા ગુજરાતી/હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ રહેશે.

ખાસ વાત : નેગેટિવ માર્કિંગ નહીં હોય.

પગાર (સ્ટાઇપેન્ડ)

ઉમેદવારોને Apprentices Act મુજબ માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ registration.ind.in પર જઈ રજિસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ લોગિન આઈડી અને પાસવર્ડ મેળવીને એપ્લિકેશન ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કર્યા બાદ તેનું પ્રિન્ટઆઉટ કાઢી રાખો.

મહત્વની તારીખ

લેખિત પરીક્ષા ઓક્ટોબર 2025માં મુંબઈમાં યોજાશે.

Read more-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top