Post Office NSC Scheme 2025: આજકાલ રોકાણ માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ સુરક્ષિત અને ગેરંટી સાથેનું રિટર્ન બહુ ઓછા સ્કીમોમાં જ મળે છે. પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) એવી જ એક સરકાર દ્વારા સમર્થિત યોજના છે, જે રોકાણકારોને 100% સુરક્ષા અને નિશ્ચિત વ્યાજ દર સાથે આકર્ષક રિટર્ન આપે છે.
NSC માં કોણ રોકાણ કરી શકે ?
NSC એકાઉન્ટ કોઈપણ ભારતીય નાગરિક ખોલી શકે છે.
- તમે સિંગલ અથવા જોઇન્ટ (મહત્તમ 3 વયસ્ક) એકાઉન્ટ ખોલી શકો છો.
- નાબાલિકના નામે પણ તેમના વાલી દ્વારા એકાઉન્ટ ખોલી શકાય છે.
- એકથી વધુ એકાઉન્ટ ખોલવામાં કોઈ મર્યાદા નથી.
કેટલી રકમ જમા કરી શકાય ?
- ન્યૂનતમ રોકાણ: ₹1000
- મહત્તમ મર્યાદા: નથી (તમે જેટલું ઇચ્છો એટલું રોકાણ કરી શકો)
- રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ બચત પણ મળે છે.
- જરૂર પડે ત્યારે આ સર્ટિફિકેટને બેંકમાં ગીરવે રાખીને લોન પણ મેળવી શકાય છે.
વ્યાજ દર અને સમયગાળો
હાલમાં પોસ્ટ ઓફિસ NSC પર 7.7% વ્યાજ દર (કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ) મળે છે. એટલે કે અહીં વ્યાજ પર પણ વ્યાજ મળે છે, જે તમારા પૈસાને ઝડપી ગતિએ વધારે છે.
- સમયગાળો: 5 વર્ષ
- વ્યાજ દર: 7.7% પ્રતિ વર્ષ (કમ્પાઉન્ડ)
₹9 લાખના રોકાણ પર કેટલું મળશે ?
જો તમે NSC માં એક સાથે ₹9,00,000નું રોકાણ કરો છો તો 5 વર્ષ પછી તમને મળશે:
- કુલ રકમ: ₹13,04,130
- વ્યાજ આવક: ₹4,04,130
અર્થાત, 5 વર્ષમાં તમને તમારા રોકાણ પર સીધી ₹13 લાખથી વધુની ગેરંટી આવક મળશે.
શા માટે કરશો NSC માં રોકાણ ?
- સરકાર દ્વારા સમર્થિત હોવાથી 100% સુરક્ષા.
- ફિક્સ વ્યાજ દર સાથે ગેરંટી રિટર્ન.
- ટેક્સ બચતનો લાભ.
- લોન લેવા માટે સર્ટિફિકેટ ગીરવે રાખી શકાય છે.
Read more-IMD Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ, કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?